રેલીમાં આવ્યો, દોઢ કલાક રહ્યો, ભાષણ આપ્યું અને ગાયબ થઇ ગયો: લક્ખા ને પોલીસ પકડી શકી નહીં

દિલ્હી હિંસાના આરોપી લક્ખા સિધાના મંગળવારે બઠિંડામાં મહારાલી સામેલ થાય હતો. તે દોઢ કલાક પ્લેટફોર્મ પર હાજર રહ્યો હતો, પરંતુ પોલીસ તેની ધરપકડ કરી શકી નહીં.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 24, 2021 | 11:17 AM
દિલ્હી હિંસાના આરોપી લક્ખા સિધાના મંગળવારે પંજાબના બઠિંડા જિલ્લાના ગામ મહારાજ ખાતે આયોજિત ખેડૂત મહારાલી સામેલ થાય હતો. તે દોઢ કલાક પ્લેટફોર્મ પર હાજર રહ્યો હતો, પરંતુ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત હોવા છતાં તેની ધરપકડ થઇ શકી નહીં. તે સાથીદારોથી છટકી ગયો. નોંધપાત્ર વાત છે કે દિલ્હી પોલીસે લક્ખા પર એક લાખનું ઇનામ જાહેર કર્યું હતું. પંજાબ સત્કાર સભા સમિતિ અને અન્ય સંગઠનો દ્વારા મંગળવારે ગામ મહારાજની દાના મંડી ખાતે મહારેલીનું આયોજન કરાયું હતું. હજારો યુવા ખેડુતો અને તેમના પરિવારોની મહિલાઓ પણ આ રેલીમાં સામેલ થઈ હતી. લક્ખા બપોરે 1.45 વાગ્યે અચાનક સ્ટેજ પર આવી પહોચ્યો. આ જોઈને યુવાનોએ કેન્દ્ર સરકાર મુર્દાબાદ અને કિસાન મઝદુર એકતાના નારા લગાવવાનું શરૂ કર્યું. તેણે રેલીને સંબોધન શરૂ કરતાં કહ્યું કે કેન્દ્ર સરકારે શક્ય તેટલા ખેડુતો પર ઘણા ખોટા કેસ કરી ડે પરંતુ ખેડુતો તેમના હક સાથે જ પાછા ફરશે. લક્ખાએ કહ્યું કે જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે તેમના નામ ઇતિહાસમાં નોંધાશે. જો દિલ્હી પોલીસ આંદોલનકારી ખેડુતો અથવા પંજાબના ખેડૂત નેતાઓની ધરપકડ કરવા આવે છે, તો તેમને ઘેરી લેવામાં આવશે.

દિલ્હી હિંસાના આરોપી લક્ખા સિધાના મંગળવારે પંજાબના બઠિંડા જિલ્લાના ગામ મહારાજ ખાતે આયોજિત ખેડૂત મહારાલી સામેલ થાય હતો. તે દોઢ કલાક પ્લેટફોર્મ પર હાજર રહ્યો હતો, પરંતુ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત હોવા છતાં તેની ધરપકડ થઇ શકી નહીં. તે સાથીદારોથી છટકી ગયો. નોંધપાત્ર વાત છે કે દિલ્હી પોલીસે લક્ખા પર એક લાખનું ઇનામ જાહેર કર્યું હતું. પંજાબ સત્કાર સભા સમિતિ અને અન્ય સંગઠનો દ્વારા મંગળવારે ગામ મહારાજની દાના મંડી ખાતે મહારેલીનું આયોજન કરાયું હતું. હજારો યુવા ખેડુતો અને તેમના પરિવારોની મહિલાઓ પણ આ રેલીમાં સામેલ થઈ હતી. લક્ખા બપોરે 1.45 વાગ્યે અચાનક સ્ટેજ પર આવી પહોચ્યો. આ જોઈને યુવાનોએ કેન્દ્ર સરકાર મુર્દાબાદ અને કિસાન મઝદુર એકતાના નારા લગાવવાનું શરૂ કર્યું. તેણે રેલીને સંબોધન શરૂ કરતાં કહ્યું કે કેન્દ્ર સરકારે શક્ય તેટલા ખેડુતો પર ઘણા ખોટા કેસ કરી ડે પરંતુ ખેડુતો તેમના હક સાથે જ પાછા ફરશે. લક્ખાએ કહ્યું કે જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે તેમના નામ ઇતિહાસમાં નોંધાશે. જો દિલ્હી પોલીસ આંદોલનકારી ખેડુતો અથવા પંજાબના ખેડૂત નેતાઓની ધરપકડ કરવા આવે છે, તો તેમને ઘેરી લેવામાં આવશે.

1 / 5
મંગળવારે મહારાલી દરમિયાન લક્ખા સિધાના દોઢ કલાકથી વધુ સમય હાજર રહ્યો. રેલી સ્થળની નજીક પંજાબ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો, પરંતુ લક્ખા તેના સાથીદારો સાથે સરળતાથી રેલી સ્થળ પરથી ભાગી છૂટ્યો. રેલીના મેનેજર બાબા હરદીપસિંહે જણાવ્યું હતું કે લક્ખા આવીને સ્ટેજ પરથી નીકળી ગયો હતો.

મંગળવારે મહારાલી દરમિયાન લક્ખા સિધાના દોઢ કલાકથી વધુ સમય હાજર રહ્યો. રેલી સ્થળની નજીક પંજાબ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો, પરંતુ લક્ખા તેના સાથીદારો સાથે સરળતાથી રેલી સ્થળ પરથી ભાગી છૂટ્યો. રેલીના મેનેજર બાબા હરદીપસિંહે જણાવ્યું હતું કે લક્ખા આવીને સ્ટેજ પરથી નીકળી ગયો હતો.

2 / 5
થોડા દિવસો પહેલા લક્ખાએ વિડીયો દ્વારા પંજાબના ખેડુતોને આંદોલનની લગામ ફરી પોતાના હાથમાં લેવાની અપીલ કરી હતી. આ ઉપરાંત તેણે 23 ફેબ્રુઆરીએ બઠિંડા ખાતે આયોજીત રેલીમાં ભાગ લેવા પંજાબના ખેડુતોને જણાવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે 26 જાન્યુઆરીની હિંસા બાદ લક્ખા ફરાર છે અને સોશિયલ મીડિયા પર અનેક વીડિયો જાહેર કર્યા છે.

થોડા દિવસો પહેલા લક્ખાએ વિડીયો દ્વારા પંજાબના ખેડુતોને આંદોલનની લગામ ફરી પોતાના હાથમાં લેવાની અપીલ કરી હતી. આ ઉપરાંત તેણે 23 ફેબ્રુઆરીએ બઠિંડા ખાતે આયોજીત રેલીમાં ભાગ લેવા પંજાબના ખેડુતોને જણાવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે 26 જાન્યુઆરીની હિંસા બાદ લક્ખા ફરાર છે અને સોશિયલ મીડિયા પર અનેક વીડિયો જાહેર કર્યા છે.

3 / 5
કેવી રીતે પહોચ્યો રેલીમાં લક્ખા મહારાલીમાં મોટરસાયકલ પર આવ્યો હતો. હેલ્મેટ ન પહેર્યા હોવા છતાં પોલીસે તેને ઓળખી શકી નહીં. રેલી સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્તમાં હતો ત્યારે તેને ક્યાંય અટકાવવામાં પણ આવ્યો ન હતો. તે દોઢ કલાકથી વધુ સમય સુધી સ્ટેજ પર રહ્યો અને ડર વગર બાઇક પર સવાર થઈને ત્યાંથી નીકળી ગયો.

કેવી રીતે પહોચ્યો રેલીમાં લક્ખા મહારાલીમાં મોટરસાયકલ પર આવ્યો હતો. હેલ્મેટ ન પહેર્યા હોવા છતાં પોલીસે તેને ઓળખી શકી નહીં. રેલી સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્તમાં હતો ત્યારે તેને ક્યાંય અટકાવવામાં પણ આવ્યો ન હતો. તે દોઢ કલાકથી વધુ સમય સુધી સ્ટેજ પર રહ્યો અને ડર વગર બાઇક પર સવાર થઈને ત્યાંથી નીકળી ગયો.

4 / 5
ભાજપના પ્રદેશ સચિવ સુખપાલ સિંહ સરાને કહ્યું કે હેરાનીની વાત છે એક લાખનું ઇનામ પંજાબ પોલીસની હાજરીમાં તે ખૂબ જ સરળતા સાથે રેલીમાં આવી ગયો. સંબોધન કર્યા બાદ રેલીમાંથી નીકળી પણ ગયો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સરકારે એક ષડયંત્રના ભાગ રૂપે લક્ખાને રેલીમાં ભાગ લેવા મંજૂરી આપી હતી. રાજકીય દબાણને કારણે પોલીસે પણ કંઇ કર્યું નહીં.

ભાજપના પ્રદેશ સચિવ સુખપાલ સિંહ સરાને કહ્યું કે હેરાનીની વાત છે એક લાખનું ઇનામ પંજાબ પોલીસની હાજરીમાં તે ખૂબ જ સરળતા સાથે રેલીમાં આવી ગયો. સંબોધન કર્યા બાદ રેલીમાંથી નીકળી પણ ગયો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સરકારે એક ષડયંત્રના ભાગ રૂપે લક્ખાને રેલીમાં ભાગ લેવા મંજૂરી આપી હતી. રાજકીય દબાણને કારણે પોલીસે પણ કંઇ કર્યું નહીં.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">