GUJARAT : CORONAના નવા 410 કેસ, કોરોનાથી માત્ર 1 દર્દીનું મૃત્યુ

GUJARAT માં CORONAના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના રીકવરી રેટ વધીને 96.51 ટકાએ પહોંચ્યો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 10:35 PM

GUJARAT માં CORONAના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 જાન્યુઆરી રવિવારે છેલ્લા 24 કલાકમાં CORONAના 410 કેસ નોંધાયા. રવિવારના દિવસે રાજ્યમાં CORONAથી માત્ર એક દર્દીનું મૃત્યુ થયું છે. જયારે 704 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કોરોના રીકવરી રેટ વધીને 96.51 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4,665 એક્ટિવ કેસ છે. જેમાં વેન્ટિલેટર પર 48 છે અને 4,617 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં રવિવારે 704 અને અત્યાર સુધીમાં કુલ 2,50,056 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે CORONAથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જે મહિસાગરમાંથી છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 4376 લોકોનાં મોત નિપજ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">