જયા કિશોરી

જયા કિશોરી

જયા કિશોરીને કોણ નથી જાણતું ? જયા કિશોરી તેમના ખાસ અંદાજમાં ભજન ગાવા અને કથા વાંચવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભગવાન કૃષ્ણ પ્રત્યેના અપાર પ્રેમને કારણે તેમને ‘કિશોરી’નું બિરુદ મળ્યું છે.

જયા કિશોરીનો જન્મ 13 જુલાઈ 1995ના રોજ રાજસ્થાનના એક નાનકડા ગામ સુજાનગઢમાં થયો હતો, તે ગૌર બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જયા કિશોરીના પિતાનું નામ રાધે શ્યામ હરિતપાલ અને માતાનું નામ ગીતા દેવી હરિતપાલ છે. જયા કિશોરીને ચેતના શર્મા નામની એક બહેન છે. જયા કિશોરીએ હજુ લગ્ન કર્યા નથી. જયા કિશોરીના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણે B.Com.નો અભ્યાસ કર્યો છે. આ સાથે તેણે આધ્યાત્મિકતાનું જ્ઞાન પણ મેળવ્યું છે.

2016માં જયા કિશોરીને ‘આદર્શ યુવા આધ્યાત્મિક ગુરુ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ ફેમ ઇન્ડિયા એશિયા પોસ્ટ સર્વે 2019 યુથ આઇકોનથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2021માં જયા કિશોરીને ‘મોટિવેશનલ સ્પીકર ઑફ ધ યર’ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

જયા કિશોરીનું સાચું નામ ‘જયા શર્મા’ છે. જયા કિશોરીના ગુરુનું નામ ગોવિંદ રામ મિશ્રા છે. જયા શર્માને ગુરુજી પાસેથી જ ‘કિશોરી’નું બિરુદ મળ્યું હતું. શ્રી કૃષ્ણ પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધા અને પ્રેમને કારણે તેમને કિશોરીનું બિરુદ આપવામાં આવ્યું અને ત્યાર બાદ તેઓ જયા કિશોરી જી તરીકે ઓળખાવા લાગ્યા છે. જો કે જયા કિશોરી પોતાને એક સામાન્ય છોકરી માને છે અને તેને કોઈ સાધ્વી કે સંત કહે તે પસંદ નથી.

Read More

જયા કિશોરીનો પરિવાર છે નાનું કુટુંબ સુખી કુટુંબ, એક કથા માટે લાખોનો ચાર્જ લે છે

જયા કિશોરીનું નામ આજે ફેમસ મોટિવેશનલ સ્પીકરમાં લેવામાં આવે છે. જયા કિશોરી ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ ફેમસ છે. તેની ફેન ફોલોઈંગ પણ ખુબ મોટી સંખ્યામાં છે. તેની લાઈફ વિશે પણ સૌ લોકો જાણવા માંગે છે તો આજે આપણે જયા કિશોરીના પરિવાર વિશે જાણીશું.

જયા કિશોરીના ઓલ ટાઈમ ફેવરિટ એક્ટર છે અમિતાભ બચ્ચન, કહ્યું- ફેવરિટ એક્ટર્સ બદલાતા રહે છે પણ…

જયા કિશોરીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેને ફિલ્મો જોવી ગમે છે. તેમના મનપસંદ કલાકારો દરેક ફિલ્મ સાથે બદલાતા રહે છે, પરંતુ અમિતાભ બચ્ચન તેમના ઓલ ટાઈમ ફેવરિટ છે.

Success Story: મૈથિલી ઠાકુર, જયા કિશોરી, શ્રદ્ધા જૈન… પીએમ મોદી તરફથી સન્માન મેળવનારા આ ક્રિએટર્સ યુટ્યુબ-ફેસબુકમાંથી કેટલી કમાણી કરે છે?

કન્ટેન્ટ સર્જકો સમાજમાં મોટું પરિવર્તન લાવી રહ્યા છે. તે જોતાં ગઈકાલે તેમાંથી ઘણાને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 23 વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં જયા કિશોરી, શ્રદ્ધા જૈન, મૈથિલી ઠાકુર અને કામિયા જાનીનો સમાવેશ થાય છે.

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">