કોલકાતા નાઈટ રાઈડર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ કેપ્ટન શ્રેયસ અય્યર છે, જ્યારે કોચ ચંદ્રકાંત પંડિત, માલિક શાહરૂખ ખાન, જુહી ચાવલા અને જય મહેતા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા શહેરનું પ્રતિનિધિત્વ કરતી ક્રિકેટ ટીમ છે. આ ફ્રેન્ચાઇઝી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અભિનેત્રી જુહી ચાવલા અને તેના પતિ જય મહેતાની છે. સેલિબ્રિટી માલિકોની આ ટીમ હોવાને કારણે ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર આ ફ્રેન્ચાઇઝીએ 2011માં પ્રથમ વખત IPL પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું.

ટીમ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને 2012માં IPL ચેમ્પિયન બની હતી. T20માં કોઈપણ ભારતીય ટીમ દ્વારા સૌથી લાંબી જીતનો રેકોર્ડ નાઈટ રાઈડર્સના નામે છે, કોલકાતા સિઝન 2011 થી પાંચ વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. ગૌતમ ગંભીરના નેતૃત્વમાં 2012 અને 2014માં IPL ટાઇટલ જીત્યા છે.

 

 

Read More

IPL 2024 : 3 ટીમ આઈપીએલ 2024થી બહાર, 1 ટીમે પ્લેઓફમાં એન્ટ્રી કરી અને હવે રમાશે માત્ર 5 મેચ

બુધવારના રોજ પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ પણ રાજસ્થાન રોયલ્સ 13 મેચમાં 8 જીત અને 5 હાર બાદ 16 અંક સાથે કેકેઆર બાદ બીજા સ્થાન પર છે. તો ચાલો હવે શું કહે છે આઈપીએલ 2024નું પોઈન્ટ ટેબલ

શું ગૌતમ ગંભીર બનશે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ? આ 3 દિગ્ગજો વચ્ચે સ્પર્ધા

T20 વર્લ્ડ કપ 2024 પછી ટીમ ઈન્ડિયાને નવો કોચ મળવા જઈ રહ્યો છે. BCCIએ 27 મે સુધી અરજીઓ પણ મંગાવી છે. સવાલ એ છે કે કોણ બનશે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ? આ રેસમાં ગૌતમ ગંભીરને પણ મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

RCB-CSK બંને પ્લેઓફમાં પહોંચશે, SRH બહાર થશે, KKR બનશે ચેમ્પિયન ! હરભજન સિંહે ચોંકાવનારો દાવો કર્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL પ્લેઓફની રેસમાં યથાવત છે અને 18 મેના રોજ ચેન્નાઈ સામે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે. આ મેચ પહેલા હરભજન સિંહે મોટો દાવો કરતા કહ્યું છે કે RCB અને ચેન્નાઈ બંને પ્લેઓફમાં પહોંચી જશે. તેના મતે સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પ્રવેશ કરશે નહીં. આ સિવાય તેને કહ્યું કે કોલકાતા ચેમ્પિયન બની શકે છે.

IPL 2024: હાર્દિક પંડ્યા પર સવાલ ઉઠાવનારાઓને ગૌતમ ગંભીરે આપ્યો જવાબ, આ 2 દિગ્ગજોને સૌથી ખરાબ કેપ્ટન કહ્યા

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2024માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ હારનો દોષ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર નાખવામાં આવી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યાનો બચાવ કર્યો છે અને તેના ટીકાકારો પર નિશાન સાધ્યું છે. ગંભીરે એબી ડી વિલિયર્સ અને કેવિન પીટરસન વિરુદ્ધ પણ મોટું નિવેદન આપ્યું હતું.

IPL 2024 : અમદાવાદમાં મેચ જોવાનો આનંદ માણો ક્યારે, ક્યાં અને કેવી રીતે ખરીદી શકો છો પ્લેઓફની ટિકિટ જાણો

જો તમે પણ આઈપીએલનો પ્લેઓફ મુકાબલો જોવા માંગો છો તો આજે 6 વાગ્યે તૈયાર રહેજો, કારણ કે, આઈપીએલ 2024નો પ્લેઓફ મુકાબલો 21 મેથી શરુ થઈ રહ્યો છે. હવે ચાહકો આઈપીએલ પ્લેઓફની ટિકીટ કઈ તારીખે ખરીદી શકે છે. તેની પણ જાહેરાત થઈ ચુકી છે.

IPL 2024: વરસાદે શુભમન ગિલની આશા પર પાણી ફેરવ્યું, ગુજરાત ટાઈટન્સ ઘરઆંગણે જ થયું બહાર

અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની તેમની 'કરો યા મરો' મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાત ટાઈટન્સની IPL 2024ની સફર તેમના ઘરે જ સમાપ્ત થઈ, પરંતુ કોલકાતા નાઇટ રાઈડર્સને આ વરસાદથી ચોક્કસપણે ફાયદો થયો કારણ કે 1 પોઈન્ટ મેળવવાની સાથે, તેમના ટોપ-2માં રહેવાની પુષ્ટિ થઈ હતી અને તેનો ફાયદો ટીમને મળશે પ્લેઓફમાં.

IPL 2024 : KKR પ્લેઓફમાં પહોંચ્યા બાદ ગૌતમ ગંભીરે પોતે કરેલી સૌથી મોટી ભૂલ અંગે કર્યો ખુલાસો

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે પોતાની સૌથી મોટી ભૂલનો ખુલાસો કર્યો છે. ગંભીરે આ ભૂલ ત્યારે કરી હતી જ્યારે તે KKRનો કેપ્ટન હતો. ગંભીરની કેપ્ટન્સીમાં KKR બે વખત IPL ટાઈટલ જીતી ચૂક્યું છે. IPL 2024માં ગંભીર KKRનો મેન્ટર છે અને આ ટીમ હાલ સિઝનની સૌથી પહેલી પ્લેઓફ માટે ક્વોલિફાય થનાર ટીમ બની છે. ટીમના શાનદાર પ્રદર્શનથી ગંભીર ચોક્કથી ખુશ છે, છતાં તેને હજી પણ એક વાતનો પસ્તાવો છે. જે અંગે તેણે ખુલાસો કર્યો છે.

IPL 2024 : પ્લેઓફની રેસ રોમાંચક બની, હવે 4 નહીં પરંતુ 3 જગ્યા બાકી, પરંતુ અનેક ટીમો દાવેદાર

આઈપીએલ 2024માં પ્લેઓફ માટે 3 જગ્યા ખાલી છે. આ 3 જગ્યા માટે 7 ટીમ વચ્ચે જંગ જોવા મળશે. કેકેઆરની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી ચુકી છે.દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટસની ટીમ પાસે પણ 16-16 અંક સુધી પહોચવાની તક છે.

IPL 2024 KKR vs MI: મુંબઈ ઈન્ડિયન્સને 18 રને હરાવી કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની

IPL 2024ની 60મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવી પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. વરસાદને કારણે 16-16 ઓવરની રમાયેલ મેચમાં KKRએ MIને જીતવા 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે મુંબઈ 139 રન જ બનાવી શકી અને આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024માં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ હતી.

જસપ્રીત બુમરાહે પ્રથમ બોલ પર જ કર્યો એવો જાદુ, સુનીલ નારાયણને આવી ગયા ચક્કર, જુઓ Video

મુંબઈ ઈન્ડિયન્સ આ આખી સિઝનમાં ખરાબ રીતે ફ્લોપ રહી હતી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ હતી, પરંતુ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમ માટે ચમકતો રહ્યો. પ્લેઓફની રેસમાંથી બહાર થયા બાદ બુમરાહે પહેલી મેચમાં પણ એવું જ કારનામું બતાવ્યું હતું અને પહેલા બોલ પર નારાયણને બોલ્ડ કર્યો હતો.

ગૌતમ ગંભીરે શાહરૂખ ખાનનું નામ લઈને સંજીવ ગોએન્કા પર સાધ્યું નિશાન, કેએલ રાહુલનું કર્યું સમર્થન

કેએલ રાહુલ અને સંજીવ ગોએન્કા વચ્ચેનો વિવાદ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે આ મામલે પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. મોહમ્મદ શમીએ આ મામલે સંજીવ ગોએન્કાની ટીકા કરી હતી અને હવે ગૌતમ ગંભીરે પણ ઈશારાઓમાં કેએલ રાહુલનું સમર્થન કર્યું છે. એટલું જ નહીં ગૌતમ ગંભીરે શાહરુખ ખાનનું નામ લઈને સંજીવ ગોએન્કાને ઘણું સાંભળવા પણ હતું.

IPL 2024: કોલકાતા જવું હતું પણ 980 કિ.મી. KKRનું વિમાન દૂર ઉતર્યું, હવામાં મોટી ‘ગેમ’ થઈ

IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ નંબર 1 પર છે, હવે તેને આગામી મેચ કોલકાતામાં રમવાની છે, પરંતુ આ ટીમ કોલકાતા પહોંચવાની જગ્યાએ ગુવાહાટી પહોંચી ગઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની ચાર્ટર્ડ ફ્લાઈટને કોલકાતાના બદલે ગુવાહાટી કેમ ડાયવર્ટ કરવી પડી તે અંગે ખુદ KKRની ટીમે જ માહિતી આપી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના 'X' સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી.

‘મે જે કર્યું તે ન કરવાનું હતું’, ગૌતમ ગંભીરને કઈ વાતનો અફસોસ? કેપ્ટનશીપ વિશે કહી મોટી વાત

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અનુભવી ઓપનર ગૌતમ ગંભીર IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટર છે. તે KKRનો કેપ્ટન પણ રહી ચૂક્યા છે. ગંભીરે કેપ્ટન તરીકે આક્રમકતાને લઈને મોટી વાત કહી છે.

IPL 2024: KKR vs LSG વચ્ચેની મેચમાં લખનૌને મળી કારમી હાર, પોઈન્ટ ટેબલમાં કિંગ ખાનની ટીમને મળ્યું પ્રથમ સ્થાન

KKR અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં KKRનું વર્ચસ્વ હતું. ઘરના પ્રશંસકો સામે લખનૌ સુપર જાયન્ટ્સ કંઈ ખાસ કરી શકી નહીં અને મેચ હારી ગઈ. KKRએ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજસ્થાન અને KKR બંનેના 16-16 પોઈન્ટ છે પરંતુ KKR નેટ રન રેટમાં આગળ છે.

IPL 2024: KKR ના રમનદીપ સિંહે હવામાં ડાઇવિંગ કરી પકડ્યો જાદુઇ કેચ! ચાહકો બોલ્યા કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ, જુઓ વીડિયો

IPLની 17મી સિઝનની 54મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં KKRએ પ્રથમ બેટિંગ કરીને 235/6 રન બનાવ્યા હતા. જ્યારે કેએલ રાહુલની ટીમ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે કેકેઆરના યુવા ખેલાડી રમનદીપ સિંહે ફિલ્ડિંગ દરમિયાન શાનદાર કેચ લઈને ચાહકોના દિલ જીતી લીધા હતા.

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">